jump to navigation

ઉકળાટ January 21, 2012

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી,
એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.

ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર,
ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!

કોના પાપે રે વરસે ન આજ વાદળી,
અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.

પશું, પક્ષી ને ધરતીની વેદના,
જોઇનેય નવ એને કંઇ થાય છે!

વેદના વધારીનેય એ તો વરસી ગયો;
ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!

૦ ચીમન પટેલ ‘ચમન’
૧૧-૭-’૬૫
(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦/૭/૬૫ ના અંક્માં પ્રગટ)

કેમ સમજાવું!

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

કેમ સમજાવું !?

કેમ કરીને એને મારે સમજાવું?
મારા દિલની વાત કેમ સમજાવું!
ના સમજે એની સમીપ શું ગાવું;
મારા દિલની વાત કેમ સમજાવું!

પિરસી હોય ભલે પ્રેમથી થાળી ,
ભરી મૂકી છો હોય દુધની ઝાળી,
ભૂખ વગર તે ભોજન શું ખાવું?
મારા દિલની વાત કેમ સમજાવું!

ભલી, ભોળી ને છો હોય ભાગ્યવાન ,
માયાળું મુખડું ને હોય ગોરો વાન,
હેત ઉછીનું થોડું કંઈ લઇ વરસાવું !
મારા દિલની વાત કેમ સમજાવું!

જુગલ જોડી વિના જીવતર ખાળું,
ના જાય જીવન બાંધી મુખ પર તાળું.
અંધકારને છે મારે ઉથલાવી જાવું,
મારા દિલની વાત કેમ સમજાવું!

કંઈ બહારો આવીને જાયછે ચાલી,
નથી દેખાયો ચમનમાં હજીએ માળી!
એકજ મ્યાનમાં બે તલવારને સમા’વું,
મારા દિલની વાત કેમ સમજાવું!
* ચીમન પટેલ “ચમન”
૦૮અપ્રિલ’૬૬ (ભાવનગર)

મે દિલ દીધું ના હોત!

Posted by chimanpatel in : કાવ્યો,હાસ્ય લેખો , add a comment


મેં દિલ દીધું ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!

પાંપણના પલકારે મન વશ થયું ના હોત,
તું પ્રિયે, મળી ના હોત!

ઉરના અન્ઘકારને ટાર્યો સ્નેહ જ્યોતથી તારા,
ઝીલી લીધા પાલવમાં દુ;ખ છલકાયા મારા.

જીવન અર્પ્યું ના હોત,
તું પ્રિયે, મળી ના હોત!

ગાજી ઉઠ્યું ઘર મારું કંકણના રણકારથી,
ફૂલ ખીલ્યા ઉપવનમાં તારા સહકારથી.

બહાર ખિલી ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!

• ચીમન પટેલ “ચમન” ૧૯/મેં/’૬૫ (ભાવનગર)

“પેચ પતંગના” January 13, 2012

Posted by chimanpatel in : Uncategorized,પ્રસંગ કાવ્યો , add a comment

અવકાશે
ઊડી રહ્યા રંગીન પતંગો
ગેલ કરતા
નમી પડતા
ઉડાડનારનું મન હરતા
ધાબેથી કોઇ ઢળી પડતા
પતંગ કપાતાં
થઇ જતી દોડાદોડી.

પતંગ મારો,
નીકળ્યો સારો
જોનારની આંખમાં ખૂંચે
ઊડી રહ્યો એટલે ઊંચે.

એકાએક;
ગુમાન મારું
આવ્યું શું આડુ
મંડ્યો લોટવા એ
ના’વ્યો કાબુમાં જે
પડ્યો જઇ પડોશીની પતંગ પર!

ગૂલાંટ મારી
પેચ લગાવી
ઊડી રહ્યો ગર્વથી જ્યારે
મર્મ એનો સમજાયો ત્યારે!

ઢીલ મૂકતાં દોરીની
કપાઇ પતંગ ગોરીની!

ત્યારથી;
લડાઇ ગયા છે પેચ દિલના!!

* ચીમન પટેલ “ચમન”
૧૪ જાન્યુ.’૬૩ (ભાવનગર)

આંસુ! December 7, 2011

Posted by chimanpatel in : મુક્તકો , 1 comment so far

ધૂળમાં ભળી જઇને મૂલ્યહીન બની જાય તારા આંસુ,
ઝીલીલે, કમળપત્રની જેમ, મોતી બનશે તારા આંસુ!

•ચીમન પટેલ “ચમન”/0૫ડિસેમ્બર’૧૧

[૦૬ઓગષ્ટ૧૯૬૨ ના નિયંતિકાને લખેલ પત્રમાંથી]

રાત સરી ગઇ!

Posted by chimanpatel in : કાવ્યો , 5 comments

* રાત સરી ગઇ !! *

તમારી યાદમાં તો મેં કંઇએ રાત વિતાવી!
બિડાયાં નહિ નયનો, એને તે ખૂબ સતાવી!!

ધીમે રહી, નજીક જઇ, ઘૂંઘટ જ્યાં હઠાવ્યો,
વાદળમાં છૂપાયેલો એ ચાંદ બહાર આવ્યો!

ઝૂકેલા, નશીલા, નયનની એક નજર થઇ,
એક ઝલક દઇ મુજને વળી એ ઢળી ગઇ!

પ્રિયે! શરમ કાં! કહી, કર મેં પકડી લીધો,
ખેંચી નજીક, છાતી સરસો એને ચાંપી દીધો.

તલસતા મારા હૈયાની એ ત્રુપ્તિ બની ગઇ,
રાત આખી મિલનની વાતોમાં જ સરી ગઇ!!

* ચીમન પટેલ “ચમન”
(૦૭ ડિસેમ્બર’૧૧)

[૨૫ડિસેમ્બર'૬૨ના નિયંતિકાને લખેલ પત્રમાંથી]

સાહિત્ય સરિતાના સભ્યોને October 9, 2011

Posted by chimanpatel in : Uncategorized , 3 comments

દિપક ને ગીતાએ દિપક જલાવ્યો જ્યારથી,
સરિતા સાહિત્યની વહી રહી જૂઓ ત્યારથી.

વિચારો વિવિધ લઈ વિજય જૂઓ એ આવે,
સાહિત્ય સરિતામાં જોમ નવો નવો એ લાવે.

મેઘાણીની દાઢીમાં હાથ નાખી તો જૂઓ જરા,
છત્રી છંદોની જો ખોલી શકોતો, જાણું તમે ખરા.

સુમનભાઇને જો સમજો તો પડે ખૂબ મજા,
ન સમજાયું એને તો, થઈ ગઈ જાણે સજા!

નથી પાડતા બૂમો કદીયે વિશ્વદીપ બરાડ,
રાખે રેખાને સાથમાં,નહિ પડે કદીયે ચિરાડ.

બક્ષીના ‘જજમેન્ટ’માં ન હોય કદી જોવાનું,
નીરુંને ફરિયાદ કરી કરી ઘરમાં જ રોવાનું!

ધ્રુવના તારાની જેમ, એ અડગ ને એકલા,
બારાખડી પર લખતા, દેવિકા જેવા કેટલા?

મર્મ મનોજનો સમજવો ભઈ કંઇ સહેલો નથી,
ગઝલને ગાઈને પિરસવાનો પાઠ પહેલો નથી!

ધીમી ધીમી ગાડી ધીરુંભાઇની ભઈ ચાલે ભલે,
એમના વિચારોમાંથી નવું જાણવા સહુને મળે.

પ્રવીણાબેનના મુખથી સરતી હોય છે સરીતા,
થાકે નહિ લખતાં પતિ પર રોજ નવી કવિતા.

શાંત છે શૈલા આમતો, પ્રશાન્તની પડખે રહી,
એમના સ્વભાવની આપણને સૂઝ બહુ નહીં!

સરયુંબેનને તો સાંપડ્યું છે બધી બાજુનું સુખ,
દિલિપના ચિત્રોથી ઊડી ગઈ છે એમની ભૂખ.

સંચાલન સભાનું કરી જાણે છે રસેશ દલાલ,
રચના રચીને કદીક તો ઉડાડો ભલા ગુલાલ!

ફ્તેઅલીને ફાવી ગયું છે હવે કવીતા રચવાનુ,
મુખકંઠની નહિ મારા મારી ને બધાને હસવાનું.

સુગંધ ગજરાની હેમન્તને તો નીત નીત મળે,
પુર્ણિમાની પડખે શીતળતાની મજા તો પડે!

પરખી નહિ શકો સતીશ પરીખને કદી તમે,
દિલથી કરે એ કામો, સરીતાના સભ્યોને ગમે.

જ્યોત જલાવી મંજુબેન મંદિર ઘરમાં કરો
ભરથાર ભગવાનની સેવાનું ભાથુ હવે ભરો.

બેન્ક નથી, અટક એમની કેમ પડી બેન્કર,
સમાચારોથી ભરી લાવે ભલા કદી ટેન્કર !

ખુશ છે ઇન્દીરા તો કિરિટની કરામતો પર,
દિવો લઈને ખોળતાં, નહિ મળે આવો વર !

અશોકને નથી શોક આવવું પડે છે એકલા,
‘કોક’ ઢીંચીને પણ કરે છે એ નાટકો કેટલા.

પહેર્યો છે મુગટ ગાંધીનો મુકુંદભાઇએ જૂઓ,
આંસુ પડાવે નાટકોમાં, રુમાલ લઈને લૂઓ.

સરિતાના સભ્યો પર શાયરી આ તો લખાઇ,
પ્રેરણાનું પાણી “ચમન” ગયું તારું તો સુકાઇ!

# ચીમન પટેલ “ચમન”
(૦૧ઓક્ટો’૧૧)

***************

હાઇકુ August 25, 2011

Posted by chimanpatel in : હાઈકુ , 1 comment so far

પ્રિતના પાણી- ચીમન પટેલ ‘ચમન’ July 18, 2011

Posted by chimanpatel in : Uncategorized,ટુંકી વાર્તા , 1 comment so far

પ્રિતના પાણી ચીમન પટેલ ‘ચમન’

‘પિયા આ…જા…સાવન આયા….’

રેડિયા પરથી મઘુર સંગીત દિવાનખાનામાં રેલાઈ રહ્ય્યું હતું. છત પરનો પંખો ગરમી સામે યુદ્ધે ચઢી જોર જોરથી ફરી રહ્ય્યો હતો.

અનુજા દિવાનખાનામાં આમતેમ આંટા મારી રહી હતી. ઘડી ઘડી એની નજર રસ્તા પર જતી હતી. નિરાશ હતી અને એની નિરાશા વઘતી જતી હતી. ભયથી મુખ પર ઉતરી આવતા પરસેવા પર પંખાની કેાઈ અસર વરતાતી ન હતી.

કંદર્પને આજે ઓફિસેથી ઘેર આવતાં રોજ કરતાં વઘારે મોડું થયું હતું. અનુજાના ચંિતાતુર સ્વભાવને સમજ્‌યા પછી કંદર્પ ઓફિસથી ઘેર આવવામાં નિયમિત બન્યો હતો. ઓફિસથી મોડું થવાનું હોય તેા અનુજાને અગાઉથી ફોન કરી જણાવવાનું એ ચૂકતો નહિ.

અનુજાને કામમાં સૂજ પડતી નો’તી. ઘરમાં એ આઘી પાછી થતી હતી અને વારંવાર બારણા પાસે કે બારી વાટે રસ્તા પર નજર નાખી લેતી હતી.ઓફિસે અને કંદર્પ સાથે કામ કરતા એક-બે મિત્રોને પણ એણે ફોન કરી જોયા.

‘મિટંિગમાં હોય અને ફોન કરવાનું તેા એ ભૂલીતો નહિ ગયા હોયને?’ અનુજા વિચારોના વાયરે ચડી; ‘ફ્રીવે પર ટા્રફીકમાં ફસાઈ ગયા હશે?..કારતો બગડી નહિ હોય ને?..કે પછી એમને અકસ્માત તેા નડ્‌યો નહિ હોય ને ?!’

અકસ્માતનો વિચાર આવતાંની સાથે એના ગાત્રો ગભરાટથી ઢીલા પડવા લાગ્યાં. શંકા-આશંકાના સાણસામાં એ ભીંસાવા લાગી.

‘ભલે કારને જે થવું હોય તે થાય, પણ એમનો વાંકો વાર ન થાય તેવું કરજે મા!’ અને એ સાથે અનુજાએ મનોમન માતાજીના પાંચ દીવા, એક નાળિયેર અને સવા પાંચ ડોલરની બાઘા પણ માની લીઘી.
‘એમના સ્વભાવ આગળ મારો સ્વભાવ તેા કંઈ જ નથી!’ અનુજા પાછી વિચારે ચડી. ‘હું મૂઈ ઘણી વખત એમની પર ગરમ થઈ જાઉ છું કારણ વગર, પણ એ કદી મારી પર ગરમ થયા નથી. સવારે ઓફિસે જાય તેા પણ મને જગાડે નહિ; એ જાણીને કે મારી ઊંઘ ન બગડે અને મને આરામ મળે. ખાવા-પીવાની બાબતમાં કોઈ તકરાર નહિ. હું જે બનાવું એ હસતા મોંએ ખાઈ લે. હું કો’કવાર ઉદાસ હોઉ તેા મારી પાસે બેસી ઉરની વાત કઢાવીને જ જંપે. મારા મનને બહેલાવવા બહાર લઈ જાય. મારો જન્મદિન ભૂલ્યા વગર દરેક વખતે નવી નવી ભેટો લઈ આવે.’

પછીતો કેવા સંજોગોમાં બંને મળ્યા. સમાજ અને સગાઓ સામે કેવી રીતે ઝઝૂમ્યા. એક બીજાને મેળવવા કેવી ને કેટલી રાહ જોઈ વગેરે વગેરેના વિચારોમાં એ ઊંડી ઉતરી ગઈ!

કંદર્પ બારણું ખોલી ઘરમાં આવ્યો.

સોફા પર વિચારોમાં મગ્ન થઈ બેઠેલી અનુજાની નજીક એ ગયો. નીચા નમી એણે અનુજાનું નાકનું ટેરવુ ઘીમેથી હલાવ્યું. અનુજાની વિચારમાળા તૂટી. કંદર્પ સામે જ ઉભો છે એનું એને ભાન થયું. એ ઊભી થઈ ગઈ. કંદર્પને જોરથી ભેટી પડતાં બોલી; ‘કેમ આટલું બઘુ મોડું કર્યું ?’
‘કેમ ! મે તને ગઈ કાલે તેા વાત કરેલી કે ઓફિસેથી છૂટી હું આપણા મકાન માટેની જમીન જોવા જવાનો છું’. સ્પષ્ટતા કરતાં કંદર્પે કહ્ય્યું.

કંદર્પને આગળ બોલતો અટકાવવા એણે એના ઓષ્ઠ કંદર્પના ઓષ્ઠ સાથે બીડી દીઘા !

બંનેના ઉરની ઉષ્મા પર પંખો સંતોષની શીતળતા ઢાળી રહ્ય્યો !

પાંખડી કે ડાળખી ? July 13, 2011

Posted by chimanpatel in : ટુંકી વાર્તા , add a comment

પાંખડી કે ડાળખી ?

પાંખડી કે ડાળખી ? (લઘુકથા) 0 ચીમન પટેલ ‘ચમન’

———————————————————— ———
ગરમીથી બચવા, યાડૅનું કામ જટપટ પતાવી હું ઘરમાં આવ્યો. ઠંડા પડવા ઠંડુ પાણી પીવા હું રસોડામાં ગયો. ઠંડા પાણીનો પહેલો ગુંટડો મે હજું ગળે ઉતાર્યો નથી ત્યાં સાંજે જમવા આવનાર મહેમાનો માટે રસોઇ કરતી પત્નીએ પૂછ્યું ‘યાડૅમાં ફરી જવાના?’
‘આજે ખૂબ ગરમી છે એટલેતો બીજા કામ પુડતા મૂકી અંદર આવી ગયો. બોલો,આપની શું સેવા કરી શકું?’

‘મીઠા લીમડાના બેએક પાંખડા લાવી આપશો?’

એમની નમ્રતા જોઇ હું ના ન પાડી શક્યો!

મીઠા લીમડાના કુંડા પાસે પહોચી, વાંકા વળતાં વિચાર આવ્યો કે પત્નીએ બે પાંખડા કે બે ડાળખાં મંગાવ્યા છે? ઘરમાં જઇ સ્પષ્ટતા કરવાનો વિચાર ઘડીભર માટે આવી ગયો, પણ પુરુષ અને એમાં પટેલની જાત કંઇ નમતું આપે ?

મૂઝવણમાં માનવીને ભગવાન જરુંર સાંભળી આવે છે !

શનીવાર હતો એટલે હનુમાનજીને યાદ કયૉ. સંજીવની માટેની એમની મૂઝવણમાં એ જેમ આખો પર્વત ઊપાડી લાવ્યા હતા એમ હું આખું કૂંડંુ ઊપાડી પત્ની પાસે પહોચી ગયો.

મને કૂંડા સાથે જોઇ આશ્વ્ચર્યમાં ડૂબી પત્ની બોલી ઊઠી, ‘આ કઢીમાં નાખવા મે તો બે પાંખડા તમારી પાસે મંગાવ્યા હતા ને તમે તો આખું કૂંડંુ ઊપાડી લાવ્યા!! બળતામાં ઘી નાખતાં એમણે ઉમેર્યુંંઃ ‘હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા !’

એમને ઠંડા પાડવા મે મારી પાંખડાની અને ડાળખાની મૂઝવણની વાત કરી.

કપાળે હાથ મૂકતાં એ બોલ્યાઃ ‘ઓ ભગવાન! લેખક થઇને પાંખડા અને ડાળખાની તમને ખબર નથી!?’

Powered By Indic IME